મોરબીના રફાળેશ્વર પાસે મચ્છોનગરમાં અકસ્માત બાદ મારમારી: સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ
SHARE
મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર ખાતે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ ઉજવાઇ
રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીની જન્મ તિથિને અનુલક્ષીને મોરબી નગર દ્વારા શરદપૂર્ણિમાના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ નિમિતે વાલ્મિકી સમાજના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતાઓએ સાથે મળીને મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.પૂજન બાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી