ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે મચ્છોનગરમાં અકસ્માત બાદ મારમારી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે મચ્છોનગરમાં અકસ્માત બાદ મારમારી: સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરમાં બાઇક ચાલકે વૃદ્ધાને હડફેટે લીધા હતા ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ ત્રણ મહિલા સહિત ચારને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરમાં રહેતા મીનાબેન ગિરધરભાઈ વાઘેલા (૪૦)મનોજભાઈ ગિરધરભાઈ વાઘેલા (૧૮) અને લીલાબેન મંગાભાઈ ઝાલા (૬૦) ને માર મારીમાં ઇજા થયેલ હતી જો કે, હીરીબેન લક્ષ્મણભાઇ પાંચીયા જાતે ભરવાડ (૬૦)ને બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા થયેલ હતી જેથી કરીને તે ચારેયને સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે

જેમાં મીનાબેન ગિરધરભાઈ વાઘેલા (૪૦)એ જેતાભાઇ ભરવાડ, જેતાભાઇ ભરવાડનો દિકરો તથા બે અજાણ્યા માણસો રહે. બધા મચ્છોનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના દીકરા મનોજના બાઇક ઉપર તેની માત સાથે જઇ રહ્યા હતા ત્યારે મોટરસાયકલનો અવાજ બાબતે તેઓને ઊભા રાખીને જ્ઞાતી પત્યે હડધુત કર્યા હતા અને મનોજને લોખંડના પાઇપ તથા લોખંડના સળીયા વડે જમણા ખંભા ઉપર તથા ડાબા પગના ઢીંચણ ઉપર ઘા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને તથા તેઓની માતા લીલાબેનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી તેની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧) (આર) (એસ) ૩(૨) (૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સમાપક્ષેથી હીરીબેન લક્ષ્મણભાઇ પાંચીયા જાતે ભરવાડ (૬૦) મનોજભાઈ ગિરધરભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી ત્રણ સવારીમાં બાઇક લઈને નીકળ્યો હતો અને તેઓને હડફેટે લઈને રસ્તા ઉપર પડી દીધા હતા અને અકસ્માત સર્જીને ત્યાંથી નાસી ગયો હતો જેથી પોલીસે વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ-૨૭૯૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭૧૮૪૧૩૪૧૯૪(સી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News