મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું


SHARE







મોરબીના સનાળા રોડે રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ કરતાં યુવાનને ઈલેક્ટ્રીક શોટ લગતા મોત નીપજયું

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા પાસે એસીપી બોર્ડનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન યુવાનનો હાથ ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાં અડી ગયો હતો જેથી કરીને તે યુવાનને શોટ લાગ્યો હતો અને યુવાન દાઝી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ નજીક સમજુબા સ્કૂલ વાળી શેરીમાં રહેતા દિનેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા નીલકંઠ હોસ્પિટલની બાજુમાં એસીપી ફર્નિચર બોર્ડ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી વીજ કંપનીની મેઇન ઈલેક્ટ્રીક લાઈનને એસીપી ફર્નિચર બોર્ડ બનાવતા સમયે હાથ અડી ગયો હતો જેથી કરીને તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા દિનેશભાઈ દાઝી ગયા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જેથી મૃતકના ભાઈ હિતેશભાઈ કિશોરભાઈ મહેમદાવાદીયા (ઉંમર ૪૨) રહે. શ્યામ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને આ બનાવવાની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

મોરબીના માધાપર જાપા પાસે રહેતા મનુભાઈ ગોકળભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૬૦) ને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખતું હતું જેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની મૃતકના દિકરા સુરેશભાઈ મનુભાઈ સારલા (૩૩) રહે. માધાપરના જાપા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News