મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે હરિગુણ રેસીડેન્સીમાં પગ લપસતા પાંચમા માળેથી નીચે પટકાયેલ સગીરનું સારવારમાં મોત


SHARE









મોરબીના પીપળી રોડે હરિગુણ રેસીડેન્સીમાં પગ લપસતા પાંચમા માળેથી નીચે પટકાયેલ સગીરનું સારવારમાં મોત

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં હરિગુણ રેસીડેન્સીમાં કામગીરી દરમિયાન પિતાની સાથે ગયેલ સગીર બાળકનો પગ લપસતા તે પાંચમા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં હરિગુણ રેસીડેન્સીમાં મૂળ દાહોદના પીપલીયા ગામના રહેવાસી રમણભાઈ હિંમતભાઈ બારીયા (ઉંમર ૩૭) કામગીરી કરી રહ્યા હતા ત્યારે તે પોતાના દીકરા દશરથ (ઉંમર ૧૬) ને ત્યાં સાથે લઈ ગયા હતા અને દરમિયાન રમણભાઈનો દીકરો દશરથ પાંચમા માળે આંટા મારતો હતો ત્યારે બાલ્કની પાસે પગ લપસતા તે પાંચમાં માળેથી નીચે પટકાયો હતો જેથી તેને પડખા, વાંસા, પગ અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે બાળકને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નહીં નિવડતાં તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતકના પિતા રમણભાઈ બારીયાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News