મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે
SHARE
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન યોજાશે
મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧ જાન્યુઆરીને રવિવારના રોજ આ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવાનો છે
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧ જાન્યુઆરીને રવિવારે સવારે ૯ વાગ્યે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાળકો માટે સ્પર્ધાઓ યોજશે જેમાં કે.જી. થી ધો ૧ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને જે સ્પર્ધા યોજાશે તેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, ચોકલેટ વીણ, ટાર્ગેટ બોલ સહિતની હરિફાઈ રાખવામા આવી છે