મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળા-જીર્ણોદ્ધારના લાભાર્થે લોક ડાયરો યોજાશે

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોક ડાયરામાં જાણીતા કલાકાર સાગરદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના જમાવટ કરશે ત્યારે ધર્મપ્રેમી જનતાને ડાયરાને માણવા માટે ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 

મોરબી વાંકાનેર વચ્ચે રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં દેશ-વિદેશના લોકો શિવજીના દર્શન અને પૂજન કરવા માટે આવતા હોય છે જોકે, સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વાંકાનેર અને ઉત્સવ સમિતિ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગૌશાળા અને જીર્ણોદ્ધારના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આગામી તા. ૧૪/૧/૨૦૨૩ ને શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે સ્વ. વિજેશભાઈ ડાયાભાઈ દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે અને આ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર સાગરદાન ગઢવીનું ગ્રુપ તેમજ પૂનમબેન ગોંડલીયા અને તેના સાજીદાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે ત્યારે મંદિરની ગૌશાળા અને મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થી યોજાતા આ લોક ડાયરામાં ધર્મપ્રેમી જનતાને અને દાતાઓને બહોળી સંખ્યામાં હાજર રહેવા અને ડાયરાની મોજ માણવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News