મોરબીમાં પત્નીએ હાથ ખર્ચના પૈસા ન આપતા યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
વાંકાનેર નજીક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું
SHARE
વાંકાનેર નજીક દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું
વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોય છે ત્યારે વાંકાનેરના દિગ્વિજયનગરની પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દીધા છે જેથી કરીને વાંકાનેરના લોકોમાં ફફડાટ છે અને આંગેની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ વન વિભાગના અધિકારીને સૂચના આપી હતી જેથી કરીને વન વિભાગના અધિકારી દ્વારા દીપડાને પકડવા અતે તજવીજ શરૂ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં દીપડાએ દેખા દીધા છે ત્યારે દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે