મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પમાં ૯૩ સખી મંડળોને ૧૦૨.૯૦ લાખની સહાય અર્પણ
મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબી તાલુકાના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને શ્રમિક યુવાને આપઘાત કર્યો હતો જે બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના દેવરીયા જિલ્લાના સીરવાનીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ કાલ શિવ સેતુ પોલીપેક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ નમીભાઈ શાહની જાતે માછીમાર (ઉંમર ૨૦) એ જોધપર ગામે મનસુખભાઈ નથુભાઈ પટેલના મકાનની સામે સરકારી ખરાબમાં આવેલ લીમડાના ઝાડ ઉપર લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ અંગેની જાણ હેમમાં જ રહેતા જયેશભાઈ ભુરાભાઈ હોથી જાતે પટેલ (૪૦) એ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે









