મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને શ્રમિક યુવાને આપઘાત કર્યો હતો જે બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના દેવરીયા જિલ્લાના સીરવાનીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ કાલ શિવ સેતુ પોલીપેક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ નમીભાઈ શાહની જાતે માછીમાર (ઉંમર ૨૦) એ જોધપર ગામે મનસુખભાઈ નથુભાઈ પટેલના મકાનની સામે સરકારી ખરાબમાં આવેલ લીમડાના ઝાડ ઉપર લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ અંગેની જાણ હેમમાં જ રહેતા જયેશભાઈ ભુરાભાઈ હોથી જાતે પટેલ (૪૦) એ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે




Latest News