મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના જોધપર ગામે ઝાડ ઉપર લટકી જઈને શ્રમિક યુવાને આપઘાત કર્યો હતો જે બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈ જવામાં આવ્યો હતો જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના દેવરીયા જિલ્લાના સીરવાનીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ કાલ શિવ સેતુ પોલીપેક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા શંકરભાઈ નમીભાઈ શાહની જાતે માછીમાર (ઉંમર ૨૦) એ જોધપર ગામે મનસુખભાઈ નથુભાઈ પટેલના મકાનની સામે સરકારી ખરાબમાં આવેલ લીમડાના ઝાડ ઉપર લટકી જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ અંગેની જાણ હેમમાં જ રહેતા જયેશભાઈ ભુરાભાઈ હોથી જાતે પટેલ (૪૦) એ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News