ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં જસાપર ગામે સરકારી શાળામાં આનંદમેળા યોજાયો


SHARE













માળીયા (મી)નાં જસાપર ગામે સરકારી શાળામાં આનંદમેળા યોજાયો

માળીયા મિયાણા તાલુકાનાં જસાપર ગામે આવેલ શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તેમજ વિવિધ ગુણ કેળવાય અને આર્થિક ઉપાર્જનનો અનુભવ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં એસએમસી સભ્ય સુરેશભાઈ હમીરભાઇ ચાવડા, મેરામભાઇ ચાવડા અને સુરેશભાઈ કાનગડ હાજર રહ્યા હતા અને જુદા જુદા ૧૫ જેટલા સ્ટોલમાં બાળકોએ વિવિધ વાનગીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી વેચાણ માટે મુકેલ હતી જેમાં શાળાના શિક્ષકો, બાળકો અને વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોની વાનગી ખરીદીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તે બદલ શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહિર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News