હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી સોલારની ૧૫૫ પેનલોની ચોરી: તસ્કરો ૨૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા


SHARE







ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી સોલારની ૧૫૫ પેનલોની ચોરી: તસ્કરો ૨૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાં સોલાર પાવર પ્લાન્ટની પેનલો મૂકવામાં આવી હતી જેમાંથી ૧૫૫ પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭.૩૦ લાખથી વધુના મુદ્દા માલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં કંપની કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીઝ શરૂ કરેલ છે

બનાવનીા મળતી માહિતી મુજબ રાજકોટમાં પુષ્કળધામ રોડ ઉપર આવેલ વ્રજવાટિકા ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા ખીલનભાઈ હરેશભાઈ સાવલિયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૨૪) એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની ઓનિક્સ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પાવર પ્લાન્ટ ઼ની પેનલો ગત તા ૧૪/૩/૨૦૨૩ ના સાંજથી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટંકારા તાલુકાના વીરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી જે પેનલોમાંથી ૧૫૫ જેટલી પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭,૩૦,૭૨૮ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ ચોરી કરવામાં આવ્યો હોય કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સાસરીયાનો ત્રાસ

મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં વૈભવ લક્ષ્મી સોસાયટીમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨ માં હાલમાં રહેતા વંદનાબેન રજનીકુમાર ભીમાણી (ઉંમર ૩૪)એ હાલમાં તેના પતિ રજનીકુમાર ગીરીશભાઈ ભીમાણી, સસરા ગીરીશભાઈ પીતાંબરભાઈ ભીમાણી અને સાસુ સરોજબેન ગિરીશભાઈ ભીમાણી રહે. બધા જ નવસારી વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણા ટોણા મારીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પતિ સહિત ત્રણ સામે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News