વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
Breaking news
Morbi Today

મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાન, ભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબી નવજીવન વિદ્યાલયમાં શૉયગાનભજન અને લોકગીત સ્પર્ધા યોજાઇ

મોરબી નવજીવન વિદ્યાલયમાં રાષ્ટ્રીય શાયર લોક સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે મોરબી અને માળિયા તાલુકા કક્ષાની શૉયગાનભજન લોકગીત સ્પર્ધા યોજાઇ ગઇ હતી. જેમાં મોરબી તાલુકામાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, જિલ્લા  શિક્ષણાધિકારી કચેરી મોરબીના એસ.જે. મેરજા, શ્રીમદ રાજચંદ્ર શાળા વિષય સંકુલ મોરબીના સંયોજક એસ.એ. જાવીયા અને શાળાના આચાર્ય અતુલભાઇ પાડલીયા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે સ્પર્ધકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં મોરબી તાલુકામાં પ્રથમ ક્રમે ગૌસ્વામી અવની પ્રકાશભાઈ (નવયુગ વિદ્યાલય)  દ્વિતીય ક્રમે વ્યાસ ધર્મીલ પરેશભાઈ (સાર્થક વિદ્યાલય) અને તૃતીય ક્રમે જોષી વૃષ્ટિ હિરેનભાઈ (નવજીવન વિદ્યાલય) વિજેતા બનેલા છે અને આ સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.






Latest News