મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું મોરબી શહેરમાં જુદીજુદી 3 અને હળવદના ઈશ્વરનગર ગામે 1 જુગારની રેડમાં કુલ 21 શખ્સો પકડાયા મોરબીના નીચી માંડલ પાસે રોંગ સાઇડમાં આવેલ બોલેરોના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાં રેફ્રિજરેશનની દુકાનની બારીના સળિયાને તોડીને 1.80 લાખના કોપર વાયરની ચોરી મોરબી જિલ્લા સેવાસદનમાં કંડમ થયેલા વાહનો હાલ પાર્કિંગમાં પડેલ છે તેનો નિકાલ કરવા માંગ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર, સુરજબાગ અને બાલમંદિર પાસે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સ્થાનિક લોકોની માંગ ઘોર બેદરકારી: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ડિવાઇડરમાં નીચે સ્ટ્રીટ લાઇટ વાયરો ચાલુ ! તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે


SHARE







વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે

ઉમેદવારોએ  આગામી ૧૮ મે -૨૦૨૩સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે ૩૪, અને મદદનીશ તરીકે ૫૯ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે.જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

ટંકારા મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૮-૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે.જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તારીખ ૨૫-૫ ના રોજ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.




Latest News