મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્નીને સાસરિયાંએ ન મોકલતા અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્નીને સાસરિયાંએ ન મોકલતા અંતિમ પગલું ભર્યું

મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ ભૂમિ ટાવર પાસેના ઓમ શાંતિ પાર્કમાં રહેતા અને દસ્તાવેજનું કામ કરતા યુવને પ્રેમલગ્ન કર્યા હતા અને તેની પત્નીને સાસરિયાં મોકલતા ન હતા જેથી કરીને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને પોલીસે મૃતક યુવાનની સ્યૂસાઇડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભૂમિ ટાવર પાસેના ઓમ શાંતિ પાર્કમાં રહેતા રાહુલભાઈ કિશોરભાઈ સોલંકી (૨૭) નામના યુવને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જેથી કરીને તેની ડેડબોડીને સિવિલે ખસેડીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૃતક રાહુલ પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેને લખ્યું છે કે, તે દસ્તાવેજનું કામ કરતો હતો અને તેને અગાઉ તેનાથી અલગ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. અને પછી તે યુવતી સાથે કોર્ટમાં લવમેરેજ કરી લીધા હતા. જો કે, યુવાન તે યુવતીને તેના ઘરે મૂકી આવ્યો હતો અને યુવકને એમ હતું કે, યુવતીના કાયદેસર લગ્ન કર્યા હોય હવે તેના પરિવારજનો બીજે લગ્ન નહિ કરે અને સમય જતાં બધું ભુલાઈ જશે અને યુવતીને પોતાના ઘરે મોકલી દેશે. જો કે, યુવતીના પરિવારજનોને પ્રેમલગ્નની ખબર પડતાં યુવકની અલગ જ્ઞાતિ હોવાથી યુવતીને યુવકના ઘરે મોકલતા ન હતા જેથી પ્રેમભગ્ન કરનારા યુવાને અંતિમ પગલું ભરી લીધેલ છે






Latest News