મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ


SHARE













વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે ટોલ પ્લાઝા આવેલ છે અને છેલ્લા ૧૫ વર્ષથી ટોલનાકાનું સંચાલન કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તેને બદલીને હવે બીજા કોન્ટ્રાક્ટને કામ પીને ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ હવે ટેક્ષ લેવા માટેની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે જો એજન્સીની બદલીને આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાનું શરૂ કરવામાં આવશે તો મોટી માથાકૂટ થવાના એંધાણ છે.

છેલ્લા પંદર વર્ષથી વઘાસિયા ગામના અને વાંકાનેર તાલુકા કરણી સેના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ઝાલા ટોલ પ્લાઝાનું સંચાલન કરતા હતા જેથી આસપાસના ગામના વાહન ચાલકો માટે કોઈ ટેક્ષ લેવામાં આવતો નથી અને સૌથી મોટી વાતે છે કે કોઈ વિવાદ નથી અને સારી રીતે કામ ચાલી રહ્યું છે તો પણ નવી એજન્સીને કામ આપીને પંદર વર્ષથી નિર્વિવાદિત કામ કરનારા રાજેન્દ્રસિંહ ઝાલાની બદલે બીજાને કામ આપવામાં આવશે તો નવાજૂની થવાની શક્યતા છે કેમ કે, ટોલ પ્લાઝાની આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ ટેક્સ વસુલવા માટે એજન્સી બદલાવવાની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતની ગંધ ગામના લોકોને આવી ગયેલ છે અને ગામના વાહન ચળકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જો એજન્સી બદલાશે કે પછી ટેક્સ લેવાનુ શરૂ કરવામાં આવશે તો ટોલનાકા ઉપર ભવિષ્યમાં મોટી માથાકૂટ થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને જે કંપની દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તે પહેલા હાલમાં જે એજન્સી દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે તે પણ જરૂરી છે






Latest News