મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !


SHARE











વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ પેલેસ ખાતે રહેતા યુવાને કાજેરડા ગામના શખ્સ પાસેથી માસિક 60 ટકાના વ્યાજ લેખે 9 લાખ રૂપિયા લીધા હતા જેની સામે 7.02 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી 9 લાખની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના નાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આશાપુરા ટાવરની પાછળના ભાગમાં આવેલ વિશ્વાસ પેલેસ બ્લોક નંબર 601 માં રહેતા પ્રકાશભાઈ પ્રવીણભાઈ ભોરણીયા (32)એ સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા રહે. કાજેરડા તાલુકો માળીયા મીયાણા વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ આરોપી પાસેથી 9 લાખ રૂપિયા માસિક 60 ટકા ઊંચા વ્યાજે લીધા હતા અને તેની સામે 7,02 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી આપેલ છે છતાં પણ તેની પાસેથી 9 લાખ માટે થઈને દબાણ કરવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News