મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ


SHARE













મોરબીની લધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ

મોરબીની લધીરપુર ચોકડીથી લધીરપુર ગામ સુધી અનેક સીરામીકના કારખાના અને નાના મોટા ઉદ્યોગ તથા ધંધા આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે થઈને અવરજવર કરતા હોય છે તેની સાથોસાથ આ રસ્તા ઉપરથી કારખાનાઓમાં આવતો કાચો માલ તથા પાકો માલ લઈને આવાગમન કરતાં વાહનો પણ પસાર થતા હોય છે જોકે, એક બે મહિના કે વર્ષ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મોરબીની લધીરપુર ચોકડીથી લઈને લધીરપુર ગામ સુધીનો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે અને એકથી દોઢ ફૂટના ખાડા હોવાથી વાહન ચાલકોને પોતાના વાહન લઈને લધીરપુર રોડ ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બની જાય છે હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આ રોડનું કામ કરવામાં આવ્યું નથી જેના કારણે આ ભંગાર રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થાય એટલે તેના વાહનોમાં નુકસાની થાય છે તેની સાથે તેઓને શારીરિક નુકસાની થવાની શક્યતાઓ રહેતી હોય છે તેમજ ઠેક ઠેકાણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જેમાં મોરમ અને માટી નાખવામાં આવતી હોય અવારનવાર ત્યાં રસ્તા ઉપર વાહનો ફસાઈ જતા હોય છે અને વાહનો રસ્તા ઉપર ફસાઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ત્યાં સર્જાતી હોય છે આટલું જ નહીં પરંતુ ડમ્પર, ટ્રક જેવા ભારે વાહનોની અંદર માલ ભરીને જ્યારે વાહન ચાલકો આ ભંગાર રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે વાહન પલટી મારી જાય અને અન્ય કોઈ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી પણ ભીતિ સેવાઈ છે જેથી કરીને આ રોડ ઉપર પડેલા ખાડાઓને વહેલામાં વહેલી તકે પુરવા માટે ગ્રામજનો અને કારખાનામાં રોજગારી મેળવવા માટે જતા લોકો માંગ કરી રહ્યા છે જોકે તંત્ર દ્વારા આ માંગણીને ધ્યાને લેવામાં આવશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ ભંગાર રસ્તાને રીપેર કરવા માટેની તસ્દી પણ અધિકારીઓ કે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી તે હકીકત છે






Latest News