મોરબીની લખધીરપુર ચોકડીથી ગામ સુધીના ભંગાર રોડથી ગ્રામજનો-કારખાનેદારો ત્રાહિમામ
મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
SHARE
મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
મોરબીમાં રામઘાટ પાસે આવેલ રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાતિની વાડીએ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા ડીડીઓ ડી.ડી. જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરૂદ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી માળિયા (મી) રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ અગ્રાવત, ઉપપ્રમુખ હિતેશભાઈ રામાનુજ, મંત્રી હિતેશભાઈ રામાવત, ખજાનચી રવીભાઈ રામાનુજ તેમજ પરેશ ભાઈ રામાવત, જીતેન્દ્ર ભાઈ રામાવતે જહેમત ઊઠાવી હતી