હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ
Breaking news
Morbi Today

મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ


SHARE













મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ

મોરબીના સંસ્કાર બ્લડ બેંક ઓડિટોરિયમ ખાતે રાત્રે સુઆયોજિત વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિરનું આયોજન આઇએમએના પ્રમુખ ડૉ. હેમાબેન પટેલ તથા સેક્રેટરી ડૉ.કૃષ્ણ ચગ દ્વારા કરવામાં આવ્યું હતું અને મોરબીના તમામ ડૉકટરના પરિવારને આ શિબિરમાં આવવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મોરબીના અનુભવી સાધક નરેન્દ્ર અઘારાએ સેવા આપી હતી. આ શિબિરમાં રાજકોટથી  માર્ગદર્શક આચાર્યો ડૉ.વાઘવાણી અને ડૉ. રાજુભાઈ મહેતા આવ્યા હતા.ત્યાર બાદ ડૉ. વાઘવાણીએ વિપશ્યનાનું પૂર્વ ચરણ આનાપાનસતિ ધ્યાનનું પ્રેક્ટિકલ કરાવી અનુભવ પૂરો પાડ્યો હતો. તો રાજુભાઈએ વિપશ્યના સાધનામાં શ્વાસ અને સંવેદનાનું આલંબનનું મહત્વ સમજાવ્યું હતું. વિપશ્યનાનો ઈતિહાસ, કેન્દ્રોની કાર્યપ્રણાલી, ૧૦  દિવસીય શિબિર વિશે સુંદર માહિતી આપી હતી. અંતમાં વિપશ્યના જૂના સાધક અને IMAના પ્રમુખ ડૉ. હેમાબેન પટેલે વિપશ્યના વિશેના પોતાના અનુભવો જણાવ્યા હતા






Latest News