મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE













મોરબી જિલ્લામાં વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

વાંકાનેરના નવાઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનું વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હતું ત્યારે અકસ્માત થયો હતો અને રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સનો વીમો હતો વીમા અને કંપનીએ વીમો આપવાની ના પાડતાં વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે ગ્રાહકને .૫૪,૮૨૦ ઉપરાંત ૫૦૦૦ ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનુ વાહન જાબુંડીયાથી બંધુ નગર જતા રસ્તામાં અકસ્માત થતાં વાહનને નુકશાન થયેલ તેમનો વીમો રીલાયન્સ જનરલ ઇન્સ્યુ નો હતો વીમા કંપની એમ કહેલ કે ડ્રાઇવરને લાગેલ નથી અને જે બીલો રજુ કર્યા છે તે સાદા કાગળમાં છે માટે વીમો મળે નહી ગ્રાહક અદાલતે જણાવેલ કે, ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી મને ગ્રાહકે જે બીલો રજુ કરેલ તે માન્ય રાખેલ ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપની એ વીમો આપવો જોઇ અદાલતે ગ્રાહકને ૫૪,૮૨૦ અને પાંચ હજાર ખર્ચના ૬ ટકા વ્યાજ લેખે તા.૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે મોરબી જીલ્લામાં કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) અને મંત્રી રામભાઇ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેવું જણાવ્યુ છે






Latest News