વાંકાનેર તાલુકામાં પરસ્ત્રી સાથે ફોન ઉપર વાત કરતાં પતિનું ઢીમ ઢાળી દેનાર આરોપી પત્ની જેલ હવાલે
મોરબી જિલ્લામાં વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ
SHARE
મોરબી જિલ્લામાં વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ
વાંકાનેરના નવાઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનું વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હતું ત્યારે અકસ્માત થયો હતો અને રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સનો વીમો હતો વીમા અને કંપનીએ વીમો આપવાની ના પાડતાં વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલતે ગ્રાહકને .૫૪,૮૨૦ ઉપરાંત ૫૦૦૦ ખર્ચના ૬ ટકા વ્યાજ સાથે તા. ૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનુ વાહન જાબુંડીયાથી બંધુ નગર જતા રસ્તામાં અકસ્માત થતાં વાહનને નુકશાન થયેલ તેમનો વીમો રીલાયન્સ જનરલ ઇન્સ્યુ નો હતો વીમા કંપની એમ કહેલ કે ડ્રાઇવરને લાગેલ નથી અને જે બીલો રજુ કર્યા છે તે સાદા કાગળમાં છે માટે વીમો મળે નહી ગ્રાહક અદાલતે જણાવેલ કે, ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી મને ગ્રાહકે જે બીલો રજુ કરેલ તે માન્ય રાખેલ ગ્રાહકે વીમો ભરેલ છે માટે વીમા કંપની એ વીમો આપવો જોઇ અદાલતે ગ્રાહકને ૫૪,૮૨૦ અને પાંચ હજાર ખર્ચના ૬ ટકા વ્યાજ લેખે તા.૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે મોરબી જીલ્લામાં કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ (૯૩૨૭૪ ૯૯૧૮૫) અને મંત્રી રામભાઇ મહેતા (૯૯૦૪૦ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેવું જણાવ્યુ છે