મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન
SHARE
મોરબીના શનાળા પાસે ધર્મનગરમાં વીજ ધાંધિયા: લોકો હેરાન
મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં વીજ ધાંધિયા છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ અંગેની પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે સૌથી મોટો સવાલ છે
મોરબીના શનાળા પાસે રાજપર રોડે ધર્મનગર સોસાયટી આવેલ છે ત્યાં રહેણાંક અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે જેમાં અવાર નવાર વીજ કાપ મૂકવામાં આવે છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને ભારે હેરાન થવું પડે છે અને ટીસીની સમસ્યા હોવાથી અનેક વખત અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે જો કે, કોઈ કામ કરવામાં આવતું નથી અને થોડા સમય પહેલા વાવાઝોડા વખતે ઘણા લોકોના ઘરે વીજ ઉપકરણો બગડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ થાય પછી કોઈ ફોન ન ઉપાડે, મનફાવે તેવા જવાબ આપે વિગેરે અનેક સમસ્યા છે જેને ઉકેલવા માટે લોકોએ હવે મોરબી પીજીવીસીએલની સર્કલ ઓફિસે રજૂઆત કરેલ છે