મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ
SHARE
મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ
મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભારાઈ છે અને દુર્ગંધ મારતું પાણી શેરીમાં ભરાઈ જાય છે જેથી કરીને લોકોને આ ગંદકીની વચ્ચે જ રહેવું પડે અને તેમાંથી જ ચાલીને નીકળવું પડે છે જેથી કરીને રોગચાળાનું જોખમ રહે છે અને આ બાબતે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરેલ છે તો પણ તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી અને પાલિકાએ હેલ્પ લાઇન નંબર તરીકે જે નંબર અગાઉ જાહેર કર્યા હતા તે નંબર કોઈ ઉપાડતા નથી જેથી લોકોને ના છૂટકે પોતાના ઘર પાસે ગંદકીની વચ્ચે જ રહેવું પડે છે સામાન્ય રીતે વરસાદ હોય તો વરસાદી પાણી શેરીમાં ભરાઈ છે જો કે, ભીમરાવનગરમાં વગર વરસાદે ગટરના પાણી ઘણા સમયથી ભરાયેલ છે તો પણ ગટરની ગંદકીના પ્રશ્નને ઉકેલવામાં આવી રહ્યો નથી માટે લોકોને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડે છે









