મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે


SHARE









હળવદના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પંચાસરી વાડી વિસ્તાર મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ અરજી ફોર્મ રૂ. ૫(પાંચ)ની ફી ચુકવી તારીખ ૨૫ ઓગસ્ટ સુધીમાં રૂબરૂ કચેરીના કામકાજના સમયે ભરવાનું રહેશે.  

સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઉપરાંત પુરૂષ પણ  અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, તેમજ ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. સંચાલક માટે  માત્ર સ્થાનિક ઉમેદવાર જ ઉમેદવારી કરી શકશે. જ્યારે પંચાયતમાં ચૂંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ્ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત, હોમગાર્ડ ગૃહ રક્ષણદળના સભ્ય, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ કે બરતરફ થયેલ વ્યકિત, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ, પત્ની પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, શાકભાજી મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યકિતએ તેમજ કોઈ પણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ, વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ  અરજી કરી શકશે નહી. અને અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય સર્ટી પ્રમાણિત નકલો જોડવાની રહેશે અને કોઈ ઉમેદવારને લેખીતમાં ઈન્ટરવ્યુ કોલ મળ્યો હોય તેવા તમામ ઉમેદવાર જણાવેલ તારીખે અને સમયે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અને હળવદ મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૫/૦૮/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે.






Latest News