મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશ ભક્તિના રંગે રંગાયું મોરબી


SHARE









મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશ ભક્તિના રંગે રંગાયું મોરબી

દેશના વીરોને વંદન કરી માતૃભુમિ પ્રત્યેનું ઋણ અર્પણ કરવાના ઉદ્દેશ સાથે સમગ્ર રાષ્ટ્રમાં મારી માટી, મારો દેશકાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે. ત્યારે સ્વાધિનતાના પાયોનિયર પૈકિના એક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતિ તેમજ ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મભુમી એવો મોરબી જિલ્લો કેમ બાકાત રહે? મોરબી જિલ્લામાં પણ મારી માટી મારો દેશકાર્યક્રમની ભવ્ય ઉજવણ્રી કરવામાં આવી છે અને આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લો વિવિધ કાર્યક્રમો થકી દેશ ભક્તિના રંગે રંગાઈ રહ્યો છે.


મોરબી જિલ્લાના તમામ નાગરીકોમાં મારી માટી, મારો દેશઅભિયાનનો અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. સાથો સાથ જિલ્લાના તમામ નાગરીકો અભિયાનમાં હર્ષભેર જોડાઈને વિવિધ કાર્યક્રમના સહભાગી બની રહ્યા છે. મારી માટી, મારો દેશઅભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયત, ૫ તાલુકા તથા ૪ પાલિકા કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ કાર્યક્રમો અંતર્ગત વીરોના બલિદાનને યાદ કરાવતા ૩૭૧ શિલાફલકમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો મોરબી જિલ્લામાં પોતાના દેશના વીરો અને માટી પ્રત્યેનું માન અને લાગણી દર્શાવી માટી તેમજ શિલાફલકમ સાથે ૩૦૭૭૨ નાગરિકો દ્વારા સેલ્ફી અપલોડ કરવામાં આવી છે. ઉપરાંત ૪૩૮૯૪ નાગરિકો દ્વારા પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી છે.

આ મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ ૩૮૫ અમૃત વાટીકાનું નિર્માણ કરી કુલ ૨૬૯૩૭ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ સાથે એવા વીરો કે જેમણે આઝાદી માટે પોતાના પ્રાણ હસતા મુખે અર્પણ કર્યા તેમજ આઝાદી બાદ પણ ભારતમાતની રક્ષા કરવા માટે કટીબધ્ધ એવા આર્મી, એરફોર્સ, પોલીસ, સુરક્ષાદળ વગેરેના શહીદ કે રિટાયર્ડ એવા કુલ ૨૧૬ વીરોના સન્માન સમારોહ કાર્યક્રમ સાથે મોરબીના ખુણે ખુણે યોજાયેલ તિરંગા રેલી તથા રાષ્ટ્રગાનમાં ૪૩૮૯૪ નાગરિકોએ જોડાઈને માટીને નમન, વીરોને વંદનકર્યા હતા






Latest News