મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના બિસ્માર રસ્તાને રીપેર કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબીમાં શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના બિસ્માર રસ્તાને રીપેર કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા કલેક્ટરને રજૂઆત

હાલમાં પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે ત્યારે શિવ મંદિરે શિવ ભક્તોની ભીડ રહેતી હોય છે જોકે મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર સુધી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે અને રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી ત્યાં દર્શન કરવા માટે થઈને આવતા જતા દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે શોભેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને કાઠીયાવાડ બાલ આશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને રસ્તાનું ત્વરિત રીપેરીંગ કામ કરવામાં આવે તેમજ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે

શ્રાવણ માસમાં શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને શિવભક્તો સવાર સાંજ શિવ મંદિરે જતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી નજીક આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર સુધી જવાનો કુબેર ટોકીઝથી લઈને શોભેશ્વર મંદિર સુધીનો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે અને આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે અથવા તો નથી જેના કારણે શિવ મંદિરે દર્શન કરવા માટે થઈને જતા શિવભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વહેલી સવારે અથવા તો મોડી સાંજના આ રસ્તા ઉપરથી અવરજવર કરવામાં મહિલાઓ, બાળકો સહિતના શિવભક્તોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કાઠીયાવાડ બાલાશ્રીમ સંચાલિત વૃદ્ધાશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને શોભેશ્વર મહાદેવ મંદિર સુધીનો જે રસ્તો અતિબિસ્માર હાલતમાં છે તેનું તાત્કાલિક રીપેરીંગ કામ કરવામાં આવે અને શોભેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોકનું કામ કરવામાં આવેલું હતું જે પૂર્ણ કરવામાં આવેલ નથી જેથી કરીને દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ કુબેર ટોકીઝ થી લઈને શોભેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તા ઉપર વૃદ્ધાશ્રમ, વિકાસ વિદ્યાલય, આંબેડકર ભવન વિગેરે આવેલ હોય ત્યાં અવરજવર કરતા લોકોને પણ રસ્તા ઉપરથી અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને લોકોની હાલાકી દૂર થાય તે માટે રસ્તાનું રીપેરીંગ કામ ઝડપથી કરવામાં આવે અને સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે






Latest News