મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત

મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લાપસી જતા પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની લાશ પાણીમાં દેખાતા તેને બહાર કાઢીને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની મૃતકના નાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ યુપીના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં મેગાસિટી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિનોદકુમાર નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૩૩) ઉંચી માંડલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લપસતા પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેની લાશ એકોર્ડ પ્લસ સીરામીક કારખાનાની સામે આવેલ નાલા પાસે તરતી હોય તેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના નાનાભાઈ બબલુ નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૨૭) રહે. હાલ મેગાસિટી સીરામીક મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News