મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી: પાકીસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર


SHARE













મોરબી: પાકીસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર

પાકીસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવશે.તાજેતરમાં પાકીસ્તાનથી હરીદ્વારના વિઝા લઈ ભારત આવેલ હિન્દુઓ મોરબી મુકામે આવી પહોંચ્યા છે ત્યારે તે લોકો માટે તંત્ર સાથે સંકલન સાધી બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર તરફથી કરવામાં આવશે.તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા સી.ડી.રામાવતે જણાવ્યુ છે.વધુમાં મોરબી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડએ શરણાર્થીઓ માટે જરૂર પડ્યે મોરબી જલારામ મંદિર ખાતે રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યુ છે.આ  કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, સુરેશભાઈ સિહોરીયા, સી.ડી.રામાવત, ચિરાગ રાચ્છ, હિતેશ જાની સહીતના અગ્રણીઓ જોડાયા હતા.






Latest News