મોરબી જીલ્લામાં ગણેશ ઉત્સવ-વિસર્જન અંગે જાહેરનામું બહાર પડાયું
માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ
SHARE
માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ
માળીયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામે વર્ષ ૨૦૨૨ માં જાન્યુઆરી માહિનામાં યુવાનની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે એમપીના શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલ ધ્યાને રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા રોહિત જીવાભાઈ સુરેલા (૨૭) નામના યુવાનની વાડામા હત્યા કરવામાં આવી હતી ત્યારે યુવાનને તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકવામાં આવ્યા હતા આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે એમપીના રહેવાસી આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીમાં બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૨ મૌખિક અને ૩૨ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલોને ધ્યાને રાખીને આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ કર્યો છે અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે