માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ
મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન
SHARE
મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન
મોરબીમાં આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ અંતર્ગત તા ૧૬ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. મહાસાગરો અને દરિયા કિનારા પરના કચરાના સંચય અને તેની નકારાત્મક અસરો વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય સાગર તટીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. જેમાં વર્ષામેડી, બોડકી અને સોલંકીનગરમાં ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ કલાકે ત્રણેય ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. તેવું જણાવ્યુ છે