મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ઇન્દુમતીબેન કાટદરેનું વ્યાખ્યાનનું આયોજન


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ઇન્દુમતીબેન કાટદરેનું વ્યાખ્યાનનું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ RSS-વિદ્યા ભારતીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પ્રો. ઇન્દુમતીબેન કાટદરે દ્વારા વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર એ આજના સમયના યુવાઓને સૌથી મુંજવતા પ્રશ્નો માનો એક છે. હાલના સમયના આ અત્યંત જરૂરી ગણી શકાય એવા આ મુદા પર પ્રો. ઇન્દુમતીબેન દ્વારા રસપ્રદ શૈલીમાં વિશેષ રજૂઆત અને છણાવટ કરવામા આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યા ભારતી સંચાલિત સરસ્વતી શિશુ મંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, યોગચાર્ય નીખીલદેવજી, શિશુ મંદિરના વ્યવસ્થાપક દીપકભાઈ વડાલિયા, હરકીશનભાઈ અમૃતિયા, પરેશભાઈ મોરડિયા, શિશુ મંદિરના નિયામક સુનીલભાઈ પરમાર તથા પુનરુથાન વિદ્યાપીઠના કાર્યકર્તા નિયતીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામા જોડાયા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.






Latest News