મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ભોજન કરતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા વૃદ્ધનું મોત


SHARE













મોરબીમાં ઘરે ભોજન કરતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા વૃદ્ધનું મોત

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળ રહેતા વૃદ્ધ પોતાના ઘરે જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો જેથી તે બેભાન થઈ જતાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને મૃતકના દીકરા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક શક્તિધામની પાછળના ભાગમાં રહેતા હરિભાઈ રામાભાઇ ચાવડા જાતે અનુ. જાતિ (૯૦) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા અને ત્યાં જમતા હતા ત્યારે ભોજન કરતા સમયે તેને હાર્ટ અટેકનો હુમલો આવતા તે બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેનો દીકરો નથુભાઈ હરિભાઈ ચાવડા (૫૧) તાત્કાલિક તેને ગાડીમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કરતા આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી

તરૂણ દવા પી ગયો
મોરબીના રવાપર ગામ પાસે આવેલ હરિ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિરેન દિલીપભાઈ વિશ્વકર્મા (૧૫) નામનો તરુણ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને તરુણને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને સિવિલ હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News