ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE













પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની સંજયભાઇ રાણાભાઇ મિયાત્રાના ભાઇ વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. આ વસંતભાઇની બન્ને દીકરી દિયા અને દ્રષ્ટી યુનાઇટેડ ઇન્સ્યુરન્સ વીમા કંપની સામે કેઇસ કરેલ તેમના પિતા વસંતભાઇ તા.૧૩-૨-૧૭ નાં રોજ ફરજ દરમ્યાન જામનગર રાજકોટ રોડ પર પેટ્રોલીંગ કરતાં હતાં. અને તેમનો અકસ્માત થતાં તેઓ બે વર્ષ સુધી કોમામાં હતા અને તા.૨૯-૧૨-૧૯ ના રોજ મૃત્યુ પામેલ હતા વસંતભાઇ ગૃપ પોલીસીમાં આવતાં હોઇ વીમાની કાર્યવાહી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરની ઓફિસથી કાર્યવાહી કરવી જોઈએ અને વસંતભાઇને ૧૦,૦૦,૦૦૦ નો વીમો મળવો જોઇએ પરંતુ વીમા કંપનીએ કહયુ કે કોમામાં મરણ પામેલ હોઇ પોલીસી અસ્તીત્વમાં આવતી નથી અને વીમા કંપનીએ હાથ ઉંચા કરી લીધા હતા

જેથી કરીને સંજયભાઇ રાણાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં અદાલતે હુકમ કર્યા કે કોઇપણ કર્મચારી અકસ્માત મૃત્યુ પામે તો વીમાની ફરિયાદ જે તે ઓફિસે કરવાની હોઇ માટે ભલે સમય ગયો હોઇ પણ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર મરણજનાર વસંતભાઇના વીમાની કાર્યવાહી બે મહિનામાં ગ્રાહક અદાલતમાં મુકવી અને બન્ને દિકરીને ૩૫,૦૦૦ માનસીક ત્રાસના તથા ૧૫,૦૦૦ ખર્ચાના આમ કુલ મળીને ૫૦,૦૦૦ ગત તા.૧૫-૨-૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે કે, કોઇપણ કર્મચારી અકસ્માતે મૃત્યુ પામે તો તેના વીમાની કાર્યવાહી જે તે વડા કરે અને કુટુંબના સભ્યો તે ખાસ સંભાળ કરીને કાર્યવાહી કરવી જોઇએ જો કે, ૬ વર્ષનો સમય ગયો છતાં કોર્ટ જેતે ખાતાએ કેઇસ રજુ કરવાનો હુકમ કરેલ છે અને કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતાનો સંપર્ક કરવા જણાવેલ છે.






Latest News