ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ


SHARE













પોલીસ વિભાગની બેદરકારીથી પોલીસ પરિવાર વિમાની રકમ મેળવવા હેરાન: મોરબી તકરાર કોર્ટે ખર્ચની રકમ ચૂકવવા કર્યો આદેશ

મોરબી તાલુકાના કેરાળી ગામના વતની સંજયભાઇ રાણાભાઇ મિયાત્રાના ભાઇ વસંતભાઇ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. આ વસંતભાઇની બન્ને દીકરી દિયા અને દ્રષ્ટી યુનાઇટેડ ઇન્સ્યુરન્સ વીમા કંપની સામે કેઇસ કરેલ તેમના પિતા વસંતભાઇ તા.૧૩-૨-૧૭ નાં રોજ ફરજ દરમ્યાન જામનગર રાજકોટ રોડ પર પેટ્રોલીંગ કરતાં હતાં. અને તેમનો અકસ્માત થતાં તેઓ બે વર્ષ સુધી કોમામાં હતા અને તા.૨૯-૧૨-૧૯ ના રોજ મૃત્યુ પામેલ હતા વસંતભાઇ ગૃપ પોલીસીમાં આવતાં હોઇ વીમાની કાર્યવાહી સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગરની ઓફિસથી કાર્યવાહી કરવી જોઈએ અને વસંતભાઇને ૧૦,૦૦,૦૦૦ નો વીમો મળવો જોઇએ પરંતુ વીમા કંપનીએ કહયુ કે કોમામાં મરણ પામેલ હોઇ પોલીસી અસ્તીત્વમાં આવતી નથી અને વીમા કંપનીએ હાથ ઉંચા કરી લીધા હતા

જેથી કરીને સંજયભાઇ રાણાએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં અદાલતે હુકમ કર્યા કે કોઇપણ કર્મચારી અકસ્માત મૃત્યુ પામે તો વીમાની ફરિયાદ જે તે ઓફિસે કરવાની હોઇ માટે ભલે સમય ગયો હોઇ પણ સુપ્રિટેન્ડ ઓફ પોલીસ જામનગર મરણજનાર વસંતભાઇના વીમાની કાર્યવાહી બે મહિનામાં ગ્રાહક અદાલતમાં મુકવી અને બન્ને દિકરીને ૩૫,૦૦૦ માનસીક ત્રાસના તથા ૧૫,૦૦૦ ખર્ચાના આમ કુલ મળીને ૫૦,૦૦૦ ગત તા.૧૫-૨-૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. વધુમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે કે, કોઇપણ કર્મચારી અકસ્માતે મૃત્યુ પામે તો તેના વીમાની કાર્યવાહી જે તે વડા કરે અને કુટુંબના સભ્યો તે ખાસ સંભાળ કરીને કાર્યવાહી કરવી જોઇએ જો કે, ૬ વર્ષનો સમય ગયો છતાં કોર્ટ જેતે ખાતાએ કેઇસ રજુ કરવાનો હુકમ કરેલ છે અને કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતાનો સંપર્ક કરવા જણાવેલ છે.






Latest News