વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો
મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ
SHARE
મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ
મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી ઘરેથી દુકાને વસ્તુ લેવા માટે નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી જેથી હાલમાં ગુમ થયેલ સગીરાના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં દશામાના મંદિર પાસે રહેતા લાલજીભાઈ હીરાભાઈ સોલંકી (35)એ અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 3/7 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓની 15 વર્ષની દીકરી છાયા ઘરેથી દુકાને વસ્તુ લેવા માટે થઈને ગઈ હતી ત્યારબાદ તે ઘરે પરત આવી ન હતી જેથી તેને પરિવાર દ્વારા શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તે મળી ન આવતા હાલમાં પોલીસ સ્ટેશન ખાતે સગીરાનું અપહરણ થયું હોવાનું ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ માફાતિયાપરામાં રહેતા સંદીપ હરજીભાઈ સનુરા (38) નામના યુવાનને કાંતિનગરના ઢાળિયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મારામારીમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા રાજેશભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ (52) નામના આધેડને મહારાણા પ્રતાપ સર્કલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી