મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ મહિલાનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલું ઘાસ વેચવા માટે જઈ રહેલા આધેડ મહિલાને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી તેને ઈજા થતાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સામુબેન નોધાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) નામના આધેડ મહિલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી લીલુ ઘાસ વેચવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં સામુબેન સોલંકીને ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક મહિલાને બે દીકરા અને બે દીકરી હોવાનું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ ચાવડા નામના  ૩૦ વર્ષના યુવાનને કોઈ કારણોસર થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝવ પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા જય રમણીકભાઈ પરમાર નામના યુવાનને મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તે જૂના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.






Latest News