મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન


SHARE













મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન

વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ જવા માટે નીકળી ડેમુ ટ્રેન મકનસર નજીક બંધ પડી ગઈ હતી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડ્યું હતું અને મોડી રાત સુધી તે ડેમુ ટ્રેન ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ ડેમુ ટ્રેન તેના સમય મુજબ મોરબીથી વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હોવાથી વાંકાનેરથી આગળના રૂટની ટ્રેન પકડવા માટે મુસાફરોને દોડધામ થઈ ગઈ હતી

રેલવેની મુસાફરી કરતાં મુસાફરોની સુવિધા માટે થઈને સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે ટ્રેન દોડાવવામાં આવતી હોય છે જોકે મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર વારંવાર ડેમુ ટ્રેન રસ્તામાં બંધ થઈ જાય તેવું અવારનવાર બની ચૂક્યું છે તેમ છતાં પણ તે ટેકનિકલ ફોલ્ટને દૂર કરવા માટે થઈને નકર કામગીરી ન થતી હોય તેવું જોવા મળી રહ્યું છે દરમિયાન મુસાફરો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના સમયે મોરબી થી વાંકાનેર તરફ જવા માટે નીકળેલ ડેમુ ટ્રેન મકનસર ગામ પાસે બંધ થઈ ગઈ હતી જેથી કરીને મુસાફરોને ત્યાંથી વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે થઈને ખાનગી વાહનોમાં જવું પડ્યું હતું અને રાતના લગભગ ૧૨:૦૦ વાગ્યા સુધી આ ડેમુ ત્યાંથી ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ સમયસર ડેમુ ટ્રેન વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હતી જેથી કરીને વાંકાનેરથી વંદે ભારત અને ઇન્ટરસિટી સહિતની આગળના રૂટની ટ્રેન પકડવા માટે થઈને મુસાફરો ત્યાં પહોંચી શક્યા ન હતા જેથી કરીને વારંવાર ડેમુ ટ્રેનના ધાંધીયા થતા હોય રેલવે વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ડેમુ ટ્રેન સમયસર તેના રૂટ ઉપર દોડે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવું મુસાફરોએ જણાવ્યું છે






Latest News