મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પશ્નમંચ યોજાયો


SHARE













મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પશ્નમંચ યોજાયો

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ભારત કો જાનો પશ્નમંચ (મૌખિક સ્પર્ધા) મોરબીની નિલકંઠ વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં ભારતની પ્રાચીન ઉજ્જવળ પરંપરાથી જ્ઞાત થાય અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેવા હેતુથી દર વર્ષે મોરબીમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે જેમાં પ્રાથમિક વિભાગમાં માધાપર વાડી કન્યા શાળા પ્રથમ સ્થાને, દ્વિતીય સ્થાને કિષ્ના સ્કૂલ અને નિલકંઠ વિદ્યાલય તૃતીય સ્થાને રહી હતી તેવી રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને ન્યુ ઓમ શાંતિ, દ્વિતીય સ્થાને નાની વાવડી હાઈસ્કૂલ અને તૃતીય સ્થાને નિલકંઠ વિદ્યાલય રહી હતી

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના પી.ડી. કાંજીયા તથા નિલકંઠ વિદ્યાલયના જીતુભાઈ વડસોલા તથા સંઘમાંથી રાજેશભાઈ બદ્રકિયા હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, સચીવ હિમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી, પ્રશ્ચિમ ક્ષેત્રના  સેવા વિભાગના સહસચિવ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી, પ્રાંત ગુરુ વંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસંયોજક દિલીપભાઈ પરમાર, પ્રાંતના સમૂહગાન સ્પર્ધાના સહસંયોજક ધ્રુમિલ આડેસરા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરિયાણી, સહસંયોજક કાનગડ રાવતભાઈ ઉપસ્થિત હતા, કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ છૈયાએ કર્યું હતું, આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ પી.ડી. કાંજીયાએ આપ્યો હતો, અને જગ્યાની વ્યવસ્થા જીતુભાઈ વડસોલાએ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના સભ્યો વિનુભાઈ મકવાણા, મનહરભાઈ કુંડારિયા,હરદેવભાઈ ડાંગર, રાકેશભાઈ મેરજા, વિપુલભાઈ અમૃતિયા તથા કૌશિકભાઈ અઘારા વગેરેએ ખૂબ મહેનત કરી હતી.






Latest News