મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર


SHARE













મોરબીમાં વડીલો પાર્જિત જમીનના કેસમાં કામ ચલાઉ મનાઇ હુકમની અરજી ના મંજુર

મોરબીમાં વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો મેળવવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો જેમાં વાદીની મનાઇ હુકમની અરજીને કોર્ટે ના મંજુર કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી દયારામભાઇ નરશીભાઇ નકુમ રહે. શીયાળની વાડી મોરબી વાળાએ શામજીભાઇ ઘેલાભાઇ નકુમ વિગેરે-૪ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં સ્પે.દિવાની કેસ નં-૧૬/૨૦૨૨ દાખલ કરી હતી અને તેમના વડવાની વડીલો પાર્જીત ખેતીની જમીનમાથી હિસ્સો અલગ કરી આપવા, ગેરકાયેસર બાધકામ અટકાવવા તથા કાયમી મનાઇ હુકમ મેળવવા વિગેરે સબબ દાવો દાખલ કરેલ હતો તેની સાથે કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી દાખલ કરેલ હતી જે કેસમાં કોર્ટે પ્રતિવાદી વકીલ બી.બી. હડીયલની દલીલો, ચુકાદાઓ તથા રજુ થયેલ આધાર પુરાવા ધ્યાને લઇ વાદીની કામ ચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી ના મંજુર કરતો હુકમ કરેલ છે






Latest News