મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના લીધેલ પૈસાના ટેન્સનમાં એસીડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં ઉછીના લીધેલ પૈસાના ટેન્સનમાં એસીડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા પૈસાના ટેન્શનમાં આવી જઈને એસિડ પી લીધું હતું જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના વીશીપરાની પાસે આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ ઉર્ફે દીપક મનસુખભાઇ ચૌહાણ નામના ૨૪ વર્ષીય યુવાને એસિડ પી લીધુ હતુ જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રમેશે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા કોઇ ઇસમ પાસેથી પૈસા લીધેલા હોય અને તે પરત દેવાના થતા હોય સામેના વ્યક્તિ તરફથી ધમકીઓ આપવામાં આવતી હોવાના લીધે તેણે ટેન્શનમાં આવી જઈને ઉપરોકત પગલું ભરી લીધું હતું. હાલમાં બનાવ સંદર્ભે બીટ જમાદાર વી.ડી.મેતાએ તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વીશીપરામાં જ આવેલા કુલીનગર વિસ્તારમાં રહેતા દિલીપ દલપતભાઈ ધામેર નામના ૩૦ વર્ષીય યુવાને ગત તા.૪ ના રોજ સાંજના સાતેક વાગ્યે કોઈ કારણોસર એગ્રીકલ્ચર સુનામી નામની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જે બનાવ અંગે પણ વિસ્તારના જમાદાર વશરમભાઇ મેતા તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રામદેવપીરના મંદિર પાસે રહેતા તુલસીભાઈ રણછોડભાઈ પરમાર નામના ૨૫ વર્ષીય યુવાનને તેના રહેણાક વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના લીલાપર ગામે રહેતા હિનાબેન મહેશભાઈ અગેચાણીયા નામની ૨૮ વર્ષીય મહિલાને લીલાપર રોડ ઉપર આવેલ સિંચાઈ વિભાગની ઓફિસ નજીક ઝેરી જનાવર કરડી જતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વેલજીભાઈ ભવાનભાઈ પટેલ નામના ૬૨ વર્ષીય વૃદ્ધ ગામમાંથી પોતાની વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજાગ્રસ્ત થયેલા વેલજીભાઈ પટેલને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર શેરી નંબર-૨ માં રહેતા જયપાલસિંહ રાઠોડના બાર વર્ષીય દીકરા કરણસિંહને સામાકાંઠે સમર્પણ હોસ્પીટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હોવાનું પોલીસે જણાવેલ છે.






Latest News