મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં મેફેડ્રોન કેસમાં પકડાયેલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE













૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન પાવડર ના કેસમાં આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી નાઓ નાસ્તા ફરતા હોય જેનો જામીન ૫૨ છુટકારો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી તાલુકા પોલીસે ૧૯.૪૦ મેફેડ્રોન પાવડર સાથે આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી રહે. ગાદોલા ગામ ગાયરી મહોલ્લા વોર્ડ નં. ૧ તા. જી. પ્રતાપગઢ રાજય રાજસ્થાન વાળા આરોપી નાસ્તા ફરતા હોય જેઓ ને પોલીસે પકડી પાડી અને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે તા. ૧૬/૧/૨૪ ના રોજ અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી અને નામ. સેશન્સ કોર્ટેમાં રીમાન્ડ ની માંગણી કરેલ અને નામ. કોર્ટે રીમાન્ડ મંજુર કરેલ ત્યારબાદ રીમાન્ડ પુરા થતા તા. ૨૨/૧/૨૪ ના રોજ નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી એ રેગ્યુલર જામીન અરજી કરતા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી પી. સી. જોષી સાહેબ શ્રી એ આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી ને રૂા. ૧૦,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર તા. ૨૫/૧/૨૦૨૪ ના રોજ મુકત કરેલ છે. આ કેસમાં આરોપી દાઉદ ઈબ્રાહીમભાઈ અજમેરી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.






Latest News