મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE













મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ. મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન રવાપર તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા એ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી તથા એમ.ઓ.જી.એસ.ના  ડો ભૂમીબહેન ઝાકાસણિયાએ બહેનોમાં એનિમિયા કેવી રીતે થાય છે તેની અસર અને તેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સચીવ હિંમતભાઈ મારવાણિયા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરીયાણી તથા રાકેશભાઈ મેરજા ઉપસ્થિત રહયા હતા. અને રવાપર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી અને શિક્ષકો ફુલતરિયા નયનાબહેન, પટેલ કલ્પનાબેન તેમજ બરસરા મુકેશભાઈ વગેરે  ઉપસ્થિત  રહી  બાળાનો ઉત્સાહ વધાર્યો  હતો, આઈ.એમ.એ. મોરબી તથા  ડો વિરલ લહેરુ પેથોલોજી લેબ. વાળાએ બાળાઓની નિ:શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો






Latest News