મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ


SHARE













મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે અને તેઓને સુનાવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે તે માટેની અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ છે અને અરજદારે અગાઉ કરેલ અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી આપવી કે કેમ તેની સુનાવણી આગામી દિવસોમાં થશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં ભોગ બનેલા પરિવારો દ્વારા વિકટીમ એસો. બનાવવામાં આવેલ છે તેના સભ્ય નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોર્ટની કલમ ૧૭૩ (૮) મુજબ અરજી કરવામાં આવેલ હતી અને આ કેસમાં વિશેષ તપાસ માટે જે અરજી કરવામાં આવી છે તેની સુનાવણી પેન્ડિંગ છે દરમ્યાન નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા તેઓને વિશેષ તપાસ માટે કરવામાં આવેલ અરજીના કામે સુનાવણીમાં ભાગ લેવા દેવામાં આવે તેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબી જિલ્લા સેશન્સ કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખેલ છે અને આ કેસમાં વિશેષ તપાસ કરવા દેવી કે કેમ ?, વિશેષ તપાસ માટે ભોગ બનનાર દ્વારા કરેલ અરજીમાં સુધારો કરવા પરવાનગી આપવી કે કેમ ? તેની સુનાવણી આગામી દિવસોમાં થશે તેવી માહિતી વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી મળેલ છે






Latest News