મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE













મોરબીની નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નર્સિંગ કોલેજ તેમજ બી.એડ્. કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને રક્તપિત્ત પીડિતો, અનાથ અને વિકલાંગોની સેવામાં જીવન સમર્પિત કરનાર એવા ચંદુભાઈ દલસાણીયા તેમજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કમલેશભાઈ દલસાણીયાને મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું જેમાં તેમણે રક્તપિત્ત  રોગના લક્ષણો, તેના ઉપાયો તેમજ તેની સારવાર અંગે સચોટ માહિતી આપી હતી તેમજ રક્તપિત્ત પીડિતો માટે ઉત્તમ કાર્ય કરતી સંસ્થા એવી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, હિંમતનગર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે રક્તપિત્ત રોગના લક્ષણો, નિવારણ, ઉપચાર, તેમજ આ રોગથી બચવા શું કાળજી લેવી તે અંગે માહિતી આપતા પોસ્ટર  પ્રેઝેન્ટેશન કર્યું હતું. આ આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને તેને સફળ બનાવવા પ્રિન્સિપાલ અને સ્ટાફગણએ જહેમત ઉઠાવી હતી.






Latest News