મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ પ્રાર્થના મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામા આવશે જેમાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવશે

અયોધ્યામાં ભગવાન રામના ભવ્યતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તાજેતરમાં કરવામાં આવેલ છે જો કે, આ રામના મંદિરના નિર્માણ માટે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવામાં આવી હતી જેમાં કાર સેવા કરનાર કારસેવકોનો ફાળો સવિશેષ છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩/૩ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે મોરબીમાં રહેતા દરેક કારસેવકોનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબીમાંથી વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવા માટે ગયેલા દરેક કારસેવકોએ સી.ડી.રામાવત (કારસેવક- ૯૧૭૩૫૪૪૨૦૬), નવીનભાઈ માણેક (કારસેવક-૯૨૨૮૨૨૧૬૦૨), વિલભાઈ પંડિત (૯૪૨૯૪૭૧૭૦૧) અને ભાવીનભાઈ ઘેલાણી (૯૯૨૫૪૯૬૪૮૮)નો સંપર્ક કરીને નામ આપવા માટે સંસ્થાના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News