જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ પ્રાર્થના મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામા આવશે જેમાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવશે

અયોધ્યામાં ભગવાન રામના ભવ્યતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તાજેતરમાં કરવામાં આવેલ છે જો કે, આ રામના મંદિરના નિર્માણ માટે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવામાં આવી હતી જેમાં કાર સેવા કરનાર કારસેવકોનો ફાળો સવિશેષ છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩/૩ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે મોરબીમાં રહેતા દરેક કારસેવકોનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબીમાંથી વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવા માટે ગયેલા દરેક કારસેવકોએ સી.ડી.રામાવત (કારસેવક- ૯૧૭૩૫૪૪૨૦૬), નવીનભાઈ માણેક (કારસેવક-૯૨૨૮૨૨૧૬૦૨), વિલભાઈ પંડિત (૯૪૨૯૪૭૧૭૦૧) અને ભાવીનભાઈ ઘેલાણી (૯૯૨૫૪૯૬૪૮૮)નો સંપર્ક કરીને નામ આપવા માટે સંસ્થાના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે






Latest News