મોરબી નજીકથી બાળકનું ધડ-ખોપરી મળવાની ઘટનામાં રહસ્યની ગુથી હજુ પણ અકબંધ !: મૃતક બાળક કોણ ?
મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીના જલારામ મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ યોજાશે
મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલા જલારામ પ્રાર્થના મંદિરે કાર સેવકોનો સન્માન સમારોહ રાખવામા આવશે જેમાં વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં અયોધ્યા મુકામે કાર સેવા કરનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવશે
અયોધ્યામાં ભગવાન રામના ભવ્યતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તાજેતરમાં કરવામાં આવેલ છે જો કે, આ રામના મંદિરના નિર્માણ માટે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવામાં આવી હતી જેમાં કાર સેવા કરનાર કારસેવકોનો ફાળો સવિશેષ છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા આગામી તા.૩/૩ ને રવિવારના રોજ સવારે ૯ કલાકે મોરબીમાં રહેતા દરેક કારસેવકોનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબીમાંથી વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ માં કારસેવા કરવા માટે ગયેલા દરેક કારસેવકોએ સી.ડી.રામાવત (કારસેવક- ૯૧૭૩૫૪૪૨૦૬), નવીનભાઈ માણેક (કારસેવક-૯૨૨૮૨૨૧૬૦૨), વિલભાઈ પંડિત (૯૪૨૯૪૭૧૭૦૧) અને ભાવીનભાઈ ઘેલાણી (૯૯૨૫૪૯૬૪૮૮)નો સંપર્ક કરીને નામ આપવા માટે સંસ્થાના અગ્રણી નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે