મોરબીમાં ખેતરમાં કામ કરતાં સમયે ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા
SHARE
ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા
ભુજથી સાબરમતી વચ્ચે ચાલતી ટ્રેન બંધ થતાં ટ્રેન ફરી શરૂ થાય તેવી લોક લાગણીને લક્ષમાં લઈને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે વિભાગને રજુઆત કરતાં તા.૬ માર્ચથી ભુજથી ગાંધીનગર સુધી ટ્રેન નિયમિત શરૂ થશે.
ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી હાલમાં અલગ અલગ ૧૮ ટ્રેન આવન જાવન કરે છે. ત્યારે કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી વધુ એક ટ્રેન દોડતી જોવા મળશે.આગામી ૬ માર્ચના રોજ ભુજથી ગાંધીનગર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.જે બપોરના બે કલાકે ગાંધીનગર આવશે.જ્યારે ગાંધીનગરથી સાંજે ૫ કલાકે ઉપડશે જે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ભુજ પહોંચશે. એમ સાંસદ વિનોદભાઇ ચાવડા જણાવતા રેલ્વે વિભાગનો આભાર માન્યો હતો.