મોરબી નજીક પીપળી ગામેથી સગીરાનું અપહરણ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી
Breaking news
Morbi Today

ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE











ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા

ભુજથી સાબરમતી વચ્ચે ચાલતી ટ્રેન બંધ થતાં ટ્રેન ફરી શરૂ થાય તેવી લોક લાગણીને લક્ષમાં લઈને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે વિભાગને રજુઆત કરતાં તા.૬ માર્ચથી ભુજથી ગાંધીનગર સુધી ટ્રેન નિયમિત શરૂ થશે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી હાલમાં અલગ અલગ ૧૮ ટ્રેન આવન જાવન કરે છે. ત્યારે કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી વધુ એક ટ્રેન દોડતી જોવા મળશે.આગામી ૬ માર્ચના રોજ ભુજથી ગાંધીનગર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.જે બપોરના બે કલાકે ગાંધીનગર આવશે.જ્યારે ગાંધીનગરથી સાંજે ૫ કલાકે ઉપડશે જે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ભુજ પહોંચશે. એમ સાંસદ વિનોદભાઇ ચાવડા જણાવતા રેલ્વે વિભાગનો આભાર માન્યો હતો.






Latest News