મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઉટબેટ (શામપર) મુકામે જત પરીવારોના મરણ પામેલ ૭૦ ઊંટનું વળતર આપો : કિશોર ચિખલીયા


SHARE

















મોરબીના ઉટબેટ (શામપર) મુકામે જત પરીવારોના મરણ પામેલ ૭૦ ઊંટનું વળતર આપો : કિશોર ચિખલીયા

મોરબી તાલુકાના ઉટબેટ ગામે પશુપાલકોના ઊંટોના મરણ થયા હતા.જેમાં પશુપાલકોને વળતર આપવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કરવામાં આવેલ છે.કચ્છ માલઢોર ઉછેરક માલધારી સંગઠન હેઠળ લાયસન્સ નંબક GJ 1/03/024/3005 થી લાયસન્સ ધરાવતા માલધારીના ઊંટોનું ખોરાક ન મળવાના કારણે મરણ થયેલ છે. જેને વળતર ચુકવવા માંગ ઉઠી છે.મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઊંટ ઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે.જે માટે તેઓ લાયસન્સ પણ ધરાવે છે. જત સમાજ દ્વારા મુખ્યત્વે ખારાઈ ઊટનો ઉછેર કરવામાં આવે છે.ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતી વનસ્પતિ ચેર હોય છે.પરંતુ આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગે આડસ ઉભી કરેલ હોવાથી ઊંટોને તેનો ખોરાક મળતો નથી.જે તે સમયે સરકાર દ્રારા આ જગ્યાએ ઊંટોને ખોરાક માટે લઈ જવાની ૨વાનગી આપેલ હતી.આમ, છતાં ખોરાક ન મળવાના કારણે આ વર્ષે નાના-મોટા આશરે કુલ ૭૦ (સિત્તર) ઊંટોનું મરણ થયેલ છે.જેથી ગરીબીની રેખા નીચે જીવતા અને મુખ્યત્વે ઊંટ સાથે સંકળાયેલા આ ગરીબ જત પરીવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.તો આ પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારી શકાય તે માટે યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તેવી લેખીત માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ રાજયના મુખ્યમંત્રી તેમજ પશુપાલન વિભાગને કરેલ છે.






Latest News