હળવદના માથક અને સાપકડા પાસેથી ખનીજચોરી કરતા ચાર ડમ્પર ઝડપાયા
મોરબીના ઉટબેટ (શામપર) મુકામે જત પરીવારોના મરણ પામેલ ૭૦ ઊંટનું વળતર આપો : કિશોર ચિખલીયા
SHARE









મોરબીના ઉટબેટ (શામપર) મુકામે જત પરીવારોના મરણ પામેલ ૭૦ ઊંટનું વળતર આપો : કિશોર ચિખલીયા
મોરબી તાલુકાના ઉટબેટ ગામે પશુપાલકોના ઊંટોના મરણ થયા હતા.જેમાં પશુપાલકોને વળતર આપવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કરવામાં આવેલ છે.કચ્છ માલઢોર ઉછેરક માલધારી સંગઠન હેઠળ લાયસન્સ નંબક GJ 1/03/024/3005 થી લાયસન્સ ધરાવતા માલધારીના ઊંટોનું ખોરાક ન મળવાના કારણે મરણ થયેલ છે. જેને વળતર ચુકવવા માંગ ઉઠી છે.મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઊંટ ઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે.જે માટે તેઓ લાયસન્સ પણ ધરાવે છે. જત સમાજ દ્વારા મુખ્યત્વે ખારાઈ ઊટનો ઉછેર કરવામાં આવે છે.ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતી વનસ્પતિ ચેર હોય છે.પરંતુ આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગે આડસ ઉભી કરેલ હોવાથી ઊંટોને તેનો ખોરાક મળતો નથી.જે તે સમયે સરકાર દ્રારા આ જગ્યાએ ઊંટોને ખોરાક માટે લઈ જવાની ૨વાનગી આપેલ હતી.આમ, છતાં ખોરાક ન મળવાના કારણે આ વર્ષે નાના-મોટા આશરે કુલ ૭૦ (સિત્તર) ઊંટોનું મરણ થયેલ છે.જેથી ગરીબીની રેખા નીચે જીવતા અને મુખ્યત્વે ઊંટ સાથે સંકળાયેલા આ ગરીબ જત પરીવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.તો આ પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારી શકાય તે માટે યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તેવી લેખીત માંગ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ રાજયના મુખ્યમંત્રી તેમજ પશુપાલન વિભાગને કરેલ છે.

