મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE









મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી

યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯ ની ૨૧ મી માર્ચથી વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી દર વર્ષની ૨૧ મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ૨૧ માર્ચ ૨૦૨૪ ના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કવિતા દિવસની ઉજવણીના ઉદ્દેશો અને મહત્ત્વ અંગે શાળાના શિક્ષક સંજય બાપોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી સ્વરચિત કવિતાનું પઠન કર્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક પ્રફુલભાઈ ફેફર, અશોકભાઈ ફેફર, યાજ્ઞિકભાઈ કાવરે કવિતા રજૂ કરી હતી. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ મનગમતી કવિતા રજૂ કરી હતી. સી.આર.સી. કોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ ઉપસ્થિત રહી ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કવિતાઓનું રસપાન કરાવ્યું હતું.






Latest News