મોરબીમાં મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકતી હોસ્પિટલને પાલિકાએ કર્યો દંડ
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી
SHARE
મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી
યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯ ની ૨૧ મી માર્ચથી વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી દર વર્ષની ૨૧ મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ૨૧ માર્ચ ૨૦૨૪ ના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કવિતા દિવસની ઉજવણીના ઉદ્દેશો અને મહત્ત્વ અંગે શાળાના શિક્ષક સંજય બાપોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી સ્વરચિત કવિતાનું પઠન કર્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક પ્રફુલભાઈ ફેફર, અશોકભાઈ ફેફર, યાજ્ઞિકભાઈ કાવરે કવિતા રજૂ કરી હતી. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ મનગમતી કવિતા રજૂ કરી હતી. સી.આર.સી. કોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ ઉપસ્થિત રહી ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કવિતાઓનું રસપાન કરાવ્યું હતું.