મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના  ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીના  ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને હળવદ રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસેથી પસાર થતો હતો ત્યારે બે થી ત્રણ શખ્સો દ્વારા લૂંટના ઇરાદે તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો મનીષ રાજુભાઈ સુરેલા (૨૧) નામનો યુવાન મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં લૂંટના ઇરાદે બે થી ત્રણ શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ મનીષને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને તેઓની પાસેથી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ભોગ બનેલ યુવાન દ્વારા તેને બે થી ત્રણ શખ્સોએ તેને લૂંટના ઇરાદે માર માર્યો છે તેવું કહેવામાં આવે છે જો કે, તેને આગળ કશું કરવું નથી તેવું પણ તે કહે છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતો બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (૩૪) નામનો યુવાન ગામ પાસે હતો ત્યારે ત્યાં ગામમાં મારામારીની ઘટના બની હતી જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભોગ બનેલા યુવાને તેના જ ગામના વ્યક્તિ પાસે ૫૦ રૂપિયા ઉછીના માગ્યા હતા. જે દેવાની સામે વાળા વ્યક્તિએ ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આંબે ત્યારબાદ મારામારીમાં તેને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે








Latest News