હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના  ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













મોરબીના  ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને હળવદ રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસેથી પસાર થતો હતો ત્યારે બે થી ત્રણ શખ્સો દ્વારા લૂંટના ઇરાદે તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો મનીષ રાજુભાઈ સુરેલા (૨૧) નામનો યુવાન મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં લૂંટના ઇરાદે બે થી ત્રણ શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ મનીષને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને તેઓની પાસેથી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ભોગ બનેલ યુવાન દ્વારા તેને બે થી ત્રણ શખ્સોએ તેને લૂંટના ઇરાદે માર માર્યો છે તેવું કહેવામાં આવે છે જો કે, તેને આગળ કશું કરવું નથી તેવું પણ તે કહે છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતો બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (૩૪) નામનો યુવાન ગામ પાસે હતો ત્યારે ત્યાં ગામમાં મારામારીની ઘટના બની હતી જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભોગ બનેલા યુવાને તેના જ ગામના વ્યક્તિ પાસે ૫૦ રૂપિયા ઉછીના માગ્યા હતા. જે દેવાની સામે વાળા વ્યક્તિએ ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આંબે ત્યારબાદ મારામારીમાં તેને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે






Latest News