મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના વાવડી રોડે આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના લગ્ન ન થયા હોય તે હતાશ થઈ ગયો હતો અને તેણે કંટાળીને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં સેજોન પેપર મિલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળીયા જાતે ભરવાડ (37) નામના યુવાને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપર મીલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ શીવાભાઈ માધાભાઈ ટોળીયા (42) રહે. કારીયા સોસાયટી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક પાંચ ભાઈઓમાં મોટા બે ભાઈ તથા નાના બે ભાઈના લગ્ન થઈ ગયા હતા અને નાના ભાઇઓના ઘરે પણ છોકરા હતા. જોકે મૃતક યુવાનના લગ્ન થયા ન હતા અને આજ દિવસ સુધી મૃતક યુવાનના લગ્ન ન થતા છેલ્લા ઘણા સમયથી તે હતાશ રહેતો હતો અને લગ્ન ન થયા હોવાનું મનમાં દુખ રહેતું હોય તેણે કંટાળીને કારખાનાના કવાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News