મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી મોરબી જિલ્લામાં દ્વારા ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૧ જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ચાર તબક્કામાં કાર્યક્રમો યોજાશે.

વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ ની થીમ માતા અને બાળક ની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતરરાખવામાં આવી છે. જ્યારે વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ માટેનું સૂત્ર વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાનરાખવામાં આવ્યું છે. આ સ્લોગન હેઠળ આ વર્ષ ચાર તબક્કા માં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબ નિયોજન માટે દંપતિઓ સાથે સંવાદ કરવામાં આવશે.

તા.૨૦ જુન થી શરૂ થયેલ તબક્કા દરમિયાન પ્રચાર પ્રસાર અંગેની સામગ્રીનું વિતરણ, આરોગ્ય કર્મચારીઓને તાલીમ તેમજ આંતર-ક્ષેત્રીય કન્વર્ઝન જાગ્રતિ અને પ્રચાર સહિતની કરવામાં આવી રહી છે. બીજા તબક્કામાં કુટુંબ નિયોજનના મહત્વ વિષે જનજાગૃતિ લાવવા માટે સાસુ-વહુ મીટીંગ, ઘરે-ઘરે મુલાકાત સોશિયલ મીડિયા અને અન્ય ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, બેનર્સ, પોસ્ટર, પત્રિકા વગેરે દ્વારા લોકોન જાગૃત કરવામાં આવશે.

ત્રીજા તબક્કામાં ગર્ભ નિરોધક તેમજ કુટુંબ નિયોજનની સેવાઓ પૂરી પાડવામાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જ્યારે ચોથા તબક્કામાં કુટુંબ નિયોજનની સારી કામગીરી કરનારને પોત્સાહન એવોર્ડ વિતરણ કામગીરી કરવામાં આવશે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News