માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન માળીયા (મી)ના ખાખરેચી ગામે ફોન ઉપર થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને અને તેની બહેનને માર માર્યો ટંકારામાં આવેલ દયાનંદ હોસ્પિટલ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન


SHARE







વળતર માટેના નવા પરિપત્રનો વિરોધ: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મંગળવારે ખેડૂતોની પદયાત્રાનું આયોજન

મોરબીના જેતર ગામેથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું વળતર મેળવવા માટે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તે હવે સત્યાગ્રહ પાર્ટ -3 તરફ આગળ વધી રહ્યું છે અને સત્યાગ્રહ પાર્ટ 3 અંતર્ગત આગામી મંગળવારે મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અને મહિલાઓને  જોડાવા માટે આંદોલન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં જુદી જુદી વીજ કંપનીઓ દ્વારા હાલમાં વીજ લાઈનો પાથરવા માટેની કામગીરી ચાલી રહી છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવી છે અને વીજ વાયરનો કોરિડોર પસાર થાય છે જેની સામે ખેડૂતોને પાસેરામાં પૂણી જેટલું વળતર આપવામાં આવતું હોય ખેડૂતોમાં ભારે નારાજગી છે જેથી કરીને 19 દિવસ સુધી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે આંદોલન પાર્ટ-શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે સત્યાગ્રહ પાર્ટ-માં સરકાર દ્વારા વીજ લાઈન અને વીજપોલના વળતર માટે જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તે માન્ય નથી તેના માટે થઈને મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં વિશાળ પદયાત્રા યોજાશે આ પદયાત્રા આગામી તા. 14/અને મંગળવારના રોજ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાશે જેમાં માત્ર જેતપર કે મોરબી જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત ભાઈઓ તથા મહિલાઓને જોડાવા માટે થઈને આંદોલન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.






Latest News