ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ અને ભડીયાદ ગામે સામસામે મારામારી, ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE











મોરબીના ઘુંટુ અને ભડીયાદ ગામે સામસામે મારામારી, ઇજાગ્રસ્તો સારવારમાં 

મોરબી તાલુકાના ગામે ઘુટુ ગામે  મારામારીનો બનાવ બન્યો હતો તે રીતે જ મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે સામસામે મારામારીના બનાવો બન્યા હતા જે બનાવવામાં ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને બનાવની જાણ થતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના ઘુટુ ગામે આવેલા આંબેડકર નગર વિસ્તારમાં સામસાની મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક પક્ષેથી જમનાબેન નાજાભાઇ ચાવડા 50 અને કોમલબેન નાજાભાઇ ઉમર 27 રહે બંને ઘૂંટુ આંબેડકર નગર તથા સામેવાળા સાગર કિશોરભાઈ ચૌહાણ ઉમર 25 અને કાજલબેન સાગરભાઇ ચૌહાણ 27 રહે બંને આંબેડકર નગર ઘુંટુ વાળાઓને ઇજા થતાં ચારેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા બનાવની હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે પી પટેલ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.

તેમજ મોરબીના સામા સાથે આવેલા ભડીયાદ ગામે રામાપીરના ધોળા પાસે મારામારીનો વિનામ બનાવ બન્યો હતો આ સામસામે મારા મરીના બનાવવામાં એક પક્ષીથી જયેશભાઈ પ્રવીણભાઈ નંદેસરિયા અને રયાબેન જયેશભાઈ નંદેસરિયા ને ઇજાઓ પહોંચી હતી જ્યારે સામેના પક્ષેથી આશાબેન કાંતિભાઈ ઇન્દરિયા 27 અને કાંતિભાઈ દેવશીભાઈ ઇન્દરિયા 29 રહેચા રે ભડીયાદ વાળાઓને બીજાઓ પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ઉપરોક્ત મારામારીના બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના સોલંકી મારામારીના કારણે સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બાઈક ચોરીના ગુનામાં ધરપકડ

મોરબી એ ડીવીજન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીમાંથી થયેલ બાઈક ચોરીનો એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.તે દરમિયાનમાં જામનગર એલસીબી દ્વારા વાહનચોરને પકડવામાં આવ્યો હતો અને તેણે મોરબીમાંથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત આપેલ હોય હાલમાં તે વાહન ચોરીના ગુનામાં પોલીસે રોહિત માનાભાઈ બારીયા જાતે કોળી (22) ધંધો કેટરર્સ રહે. જામનગર વાળાની મોરબીની બાઇક ચોરીના ગુનામાં જામનગર પોલીસ પાસેથી કબ્જો મેળવીને ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈકમાં સવાર ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા (45) રહે.જવાહર સોસાયટી પાસે ભડીયાદ સામાકાંઠે મોરબી-2 ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.બનાવની હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા સ્ટાફના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.ભીખાભાઈને માથાના ભાગે ઇજાઓ થઈ હોય સારવારમાં લઈ જવાય છે.






Latest News